Chiki1601

 રહસ્યો 

 

રાખીને છૂપાવી મનમાં રહસ્યો,
કામ એવા કેમ કરવાં પડે છે?

હોય જો તમે હંમેશા રાજી,
રહસ્યો થોડી ઉત્પન્ન થાય છે?

કરેલ સારાં કાર્યો સફળ થાય જો,
દુઃખોનું મૂળ ક્યાં આવે જ છે?

રહસ્યો રહે છે એક રહસ્યની જેમ,
એવાં તે કેવાં આ રહસ્યો હોય છે?

બહાર આવી જાય તો ચરિત્ર બદલી નાખે,
સુધરેલ વ્યક્તિનું વ્યકિતત્વ કેમ બગડે છે?

શીતળતા જેની પ્રકૃતિમાં સમાયેલ હોય,
રહસ્યોની ત્યાં વાત જ ક્યાં હોય છે?

જીવન તમે સદાય ખુલ્લાં હૃદયથી જીવો,
રહસ્યો કદી ઉત્પન્ન થોડી  થવાનાં છે?